જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ
ખરીફ-ર૦ર૦ માટે યુનિવર્સિટી ઉત્પાદીત મગફળીના પ્રમાણિત બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી
ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી શરતો :
1) ખાતેદાર ખેડૂતોના “૮-(અ)” માં નોંધાયેલ નામો પૈકી કોઈ ૫ણ એક ખેડૂત ખાતેદાર પોતાના આધારકાર્ડ સાથે એક જ અરજી કરી શકશે. જો એક કરતાં વધારે અરજી માલુમ ૫ડશે તો વધારાની બધી જ અરજીઓ રદ્દ કરવામાં આવશે.
2) ઓનલાઈનન અરજીની નોંધણી થયા બાદ આ પાવતીની પ્રિન્ટ કાઢીને તેમાં અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરાવવાની રહેશે તેમજ બિયારણ લેતી વખતે અરજીમાં દર્શાવેલ પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ, જમીનનો ૮-(અ) નો તાજો અસલ દાખલો (છ મહિનાથી જૂનો દાખલો ચાલશે નહીં), બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ (અરજદારનો ખાતા નં. અને બેંકનો IFS Code વંચાય તેવો હોવો જોઈએ) અરજીની ૫હોંચ સાથે રજુ કરવાના રહેશે. ઉ૫રોકત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે. જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
3) મગફળી બિયારણની નોંધણી માટેની અરજી ફકત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
4) જો કોઈ અરજદારની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
5) માન્ય અરજીવાળા ખેડૂત અરજદારભાઈઓને મળવાપાત્ર બિયારણની માહિતી અને બિયારણ કયારે લેવા આવવું તેની માહિતી આ૫ના દ્વારા અરજીમાં નોંધવામાં આવેલ મોબાઈલ નંબર ૫ર SMS થી જાણ કરવામાં આવશે.
6) બિયારણ ખરીદી માટે અરજદારને ફાળવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે. એટલે કે અરજદારને જે તારીખો બિયારણ લેવા આવવા માટે ફાળવવામાં આવેલ હોય તે તારીખો એજ લઈ જવાનું રહેશે. અન્યથા તે તારીખ બાદ અરજદારની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તે ખેડૂતને ત્યારબાદ બિયારણ ખરીદીનો લાભ આ૫વામાં આવશે નહીં.
7) બિયારણની ફાળવણી માટે આપના દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીની ચકાસણી બાદ અધિકૃત કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમથી રેન્ડમાઈઝેશન કરવામાં આવશે અને તે મુજબ બિયારણ વિતરણ કરવામાં આવશે. પાછળથી કોઇ પણ દાવો ગ્રાહય રાખવામાં આવશે નહીં.
8) મગફળીની જાતો જીજી-૨૦ અને જીજેજી-૨૨ પૈકી કોઇપણ એક જાતનું બિયારણ અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં દસ બેગ સુધી મળવાપાત્ર થશે.
9) હાલમાં દેશમાં ફેલાયેલ COVIND-19 ની મહામારીના કારણે જે ખેડૂતમિત્રોની અરજી મંજુર થાય અને તેઓ બિયારણ લેવા માટે આવે ત્યારે જેતે સમયે ગુજરાત સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાઓ અમલમાં હશે તેનું ચુસ્તપણે પાલન કરવાનુઁ રહેશે.
બિયારણ મેળવવાની નોધણી માટેની ઓનલાઈન અરજી ૨૭ એપ્રિલ, ૨૦૨૦ ના સવારે ૯:૦૦ કલાક થી ૦૬ મે, ૨૦૨૦ ના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.
ખેડૂત ની વ્યક્તિગત માહિતી : દરેક માહિતી કાળજીપૂર્વક અનેચોક્સાઇ પણે ભરવી.
ખેડૂતનું પૂરું નામ:
ખેડૂતનું પૂરું નામ અહિયાં લખવું
મોબાઇલ નંબર :
મોબાઇલ નંબર અહિયાં લખવું
આધાર નંબર :
આધાર નંબર અહિયાં લખવું
ઈ-મેઇલ :
ઈ-મેઇલ અહિયાં લખવું
બિયારણની માહિતી / બેંક ની માહિતી
બિયારણ પસંદ કરો:
બેંકનું નામ:
બેંકનું નામ
બેંક એકાઉન્ટ નંબર:
બેંક એકાઉન્ટ નંબર
IFSC Code:
IFSC Code
પત્ર વ્યવહારનું સરનામું/પોતે ખેડૂત હોવાનો પુરાવા:
જીલ્લો :
તાલુકો:
ગામ:
ખાતા નંબર (૮ અ પ્રમાણે):
ખાતા નંબર (૮ અ પ્રમાણે)
સોગધ નામું:
આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મે જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો નંબર ૧ થી ૯ વાંચેલછે અને બિયારણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલ આધારોની અસલ નકલ હું રજુ કરવા બંધાવ છું.
——-
બિયારણ મેળવવાની નોધણી માટેની ઓનલાઈન અરજી ૨૭ એપ્રિલ, ૨૦૨૦ ના સવારે ૯:૦૦ કલાક થી ૦૬ મે, ૨૦૨૦ ના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.
ફોર્મ ભરતી વખતે તકનીકી મુશ્કેલી આવે તો આ નંબર પર ફોન કરવો. આઇટી સેલ ,
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ: (0285)2677487
બિયારણ માટેની માહિતીમાટે આ નંબર પર ફોન કરવો. મેગાસીડ,
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જૂનાગઢ : (0285)2675070
Copyright (c) 2020, Junagadh Agricultural University.Developed and Powered by Information Technology Cell, JAU.